મોરબીમાં ગેરકાયદે બહુમાળી બાંધકામ તોડવાનું શરૂ !:ચાર્જ છોડતા પહેલા અધિકારીની સટ્ટાસટ્ટીમોરબી પાલિકામાંથી લોકોને બાંધકામ માટે ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે જોકે, ઘણા બિલ્ડરો કાયદાથી ઉપર હોય તેવી રીતે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર આડેધડ બાંધકામ કરતાં હોય છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક-૧ પાછળ શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના શાંતિલાલ બેચારભાઈ, દિનેશભાઇ જગદીશભાઇ ગામી અને રમેશભાઈ મનજીભાઇ ભટાસણા દ્વારા બહુમાળી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં પાછળના ભાગમાં રહતા ભાવેશભાઈ રણછોડભાઈ કુંડારિયા દ્વારા તેના ઘરમાં હવા ઉજાશ બંધ થઈ જતો હોવાથી પ્રથમ પાલિકામાં અરજીઓ કરવામાં આવી હતી જો કે, કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી કરીને ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે હાઇકોર્ટમાં ઘા નાખવામાં આવ્યો હતો ત્યાર બાદ કોર્ટના આદેશ મુજબ બંધકામને યથાવત સ્થિતિમાં જ રાખવાનું હતું માટે બાંધકામ અટકાવવા પાલિકાએ નોટિસ આપી હતી જો કે, બિલ્ડરો દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું જેથી કરીને અરજદાર દ્વારા બહુમાળીમાં બાંધકામ ચાલુ છે તેના વિડીયો ફૂટેજ સાથે રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા જેથી કરીને પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની હાજરીમાં પાલિકાના સ્ટાફ દ્વારા ગેરેકાયદે બંધકામને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જે જગ્યાએ બહુમાળીને તોડવાની કામગીરી ચાલુ હતી તેની બાજુમાં જ બીજા બે બહુમાળી બિલ્ડીંગ કોઈપના પ્રકારની મંજૂરી વગર ઊભા કરવામાં આવ્યા હોવાનું પાલિકાના અધિકારીને ધ્યાને આવ્યું હતું જેથી તેને પણ પાલિકામાંથી નોટિસ આપવામાં આવશે તેવું ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોરવાહડફમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કરાઈ
મોરવાહડફમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કરાઈ
Top 20 News @10 PM - 10.09.2022: આજના મહત્ત્વના 20 સમાચાર @Sandesh News
Top 20 News @10 PM - 10.09.2022: આજના મહત્ત્વના 20 સમાચાર @Sandesh News
ગાઢ ધુમ્મસ વચ્ચે સમગ્ર ગોહિલવાડ હીલ સ્ટેશનમાં ફેરવાયુ
ભાવનગર જિલ્લામાં છેલ્લા આઠ દિવસો માં વાતાવરણમાં એક પછી એક...
বিত্তমন্ত্ৰী অজন্তা নেওগক গোলাঘাট গৌৰৱ বঁটা প্ৰদান।
বিত্তমন্ত্ৰী অজন্তা নেওগক গোলাঘাট গৌৰৱ বঁটা। আজি গোলাঘাট এমেচাৰ থিয়েটাৰ চাইটিৰ প্ৰেক্ষাগৃহত এক...