વડોદરા ના ફતેપુરા. વિસ્તારમાં વિધવા બહેનોને અનાજની કીટનુંવિતરણ કરવામાં આવ્યું...

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તાર ખાતે મિસ્કીન એજ્યુકેશન વકફ કમિટી

સંચાલિત મદ્રેસા અહેમદે મુસ્તફા દ્વારા વિધવા બહેનોને અનાજની કીટનું

વિતરણ કરવામાં આવ્યું...

મિસ્કીન એજ્યુકેશન વકફ કમિટી સંચાલિત મદ્સ-એ-અહમદે મુસ્તફા

(સ.અ.વ.) ફતેપુરા વડોદરા માં ઈદે મિલાદ ના દિવસે દરેક સમાજની 200

વિધવાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન

તરીકે સજ્જાદા નશીન હજરત મોઈનુદ્દીન રિફાઇ સાહબ (નૈયર બાવા), કે.

એન. લાઠીયા સાહેબ (પી.આઈ., સીટી પોલીસ સ્ટેશન, વડોદરા),

અલ્તાફભાઇ મન્સુરી (સી.આર. જાધવ સાહબ, (કારેલીબાગ પોલીસ સ્ટેશન)

મહેન્દ્રભાઈ (ચીફ, સિવિલ ડિફેન્સ), જાવેદભાઇ વહોરા (સામાજિક કાર્યકર)

તથા મદ્સાના જીમ્મેદાર કારી અનશ સાહબ, મૌલાના સોહેલ સાહબ,

ગુલામહુસેનભાઈ, તાહીરભાઇ વારસી, અઝહરુદ્દીન ભાઈ, આરીફ વહોરા,

નફીસભાઈ તથા ફતેપુરા વિસ્તારના આગેવાનો તથા ખાદીમ ગૃપના યુવા

મેમ્બરો હાજર રહ્યા હતા