કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે મહેમદાવાદના 2 ગામોમાં 3.25 કરોડના ખર્ચે કુલ 3 રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત મહેમદાવાદ તાલુકામાં રૂ.3 કરોડ, 25 લાખના ખર્ચે શત્રુંડા ગામમાં 2 રસ્તા અને રીછોલ ગામમાં 1 એમ કુલ 3 રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે ગ્રામ આગેવાનો, ગ્રામ સરપંચશ્રીઓ, સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ ઇરફાન મલેક