રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આવનાર ઇદ એ મિલાદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો તમેજ અગ્રણીઓ અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. અને પી.આઇ. એ.એમ. દેસાઈના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઇદ એ મિલાદ તહેવારની શાંતિ પૂર્વક ઉજવણી કરવામાં આવે તેવી પી.આઇ.શ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા, ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોખીયા, ઉપ્રમુખ આશિફભાઈ મુની, ઉપ્રમુખ મુરતુજાભાઈ અમુલખ, ગુલાભાઈ દલ, રસુલભાઈ કુરેશી, જુસબભાઈ ભોકિયાં, રહીમભાઈ કનોજીયા, અબ્દુલભાઈ સેલોત, રમજાનભાઈ કુરેશી, હબીબભાઇ જોખીયા, અબ્દુલભાઈ ચાવડા, પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલભાઈ વોરા, સહીત હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા......

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.