સિહોર નજીક આવેલ ઇશ્વરીયા ગામના આગેવાન કાર્યકર્તા પત્રકાર મુકેશ પંડિતને જિલ્લા ભાજપમાં સ્થાન અપાયું છે. ભાવનગર જિલ્લા ભાજપમાં મીડિયા સહ કન્વીનર તરીકે નિયુક્તિ થઈ છે. મૂળ. ઇશ્વરીયા ગામના રહેવાસી મુકેશ પંડિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વર્ષોથી ભાવનગર જિલ્લાના પત્રકારત્વ શેત્રપણ પંડિત આગવું નામ ધરાવે છે. જિલ્લાના પ્રતિષ્તિત અખબારો અને ટીવી ચેનલોમાં પણ પંડિત કામ કરી ચુક્યા છે. પંડિત જ્યારે પોતાના ગામ ઇશ્વરીયાના સરપંચ હતા તે વેળાએ તેમની કામગીરીની નોંધ મુખ્યમંત્રી સુધી લેવાએલી છે. વર્ષોથી પત્રકાર શેત્રમાં જોડાયેલા પંડિત જિલ્લાના મોટાભાગના રાજકીય નેતાઓને ખૂબ નજીકથી ઓળખે છે. મુકેશ પંડિતને રાજ્ય નહિ કેન્દ્રસ્થાને રહેલા કેટલાક નેતાઓ સાથે ઘરોબો છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ઝોન મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ મીડીયા સેલ કન્વીનર ચગ્નેશભાઈ દવેની સૂચના થી, ભાવનગર જીલ્લા પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા દ્વારા ભાવનગર જીલ્લા મીડિયા સેલમાં સહ કન્વીનર તરીકે મુકેશ પંડિતની નિમણૂક કરવામાં આવેલ છે આ તકે પંડિતે કહ્યું હતું કે આપ સૌની શુભકામના સાથે ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રચાર સહ સંયોજક તરીકે નિમણુક થઈ છે, ભાજપ દ્વારા આ જવાબદારી સાથે મને રાષ્ટની સેવાની તક મળી છે, તેનો આનંદ છે, આપના દ્વારાપણ કાયમ હૂંફ મળી જ છે, આ કામગીરી માટેપણ વધુમળશે તે અપેક્ષા છે મુકેશ પંડિત મૂળ સિહોરના ઇશ્વરીયા ગામના રહેવાસી છે, પંડિત વર્ષોથી પત્રકારત્વ શેત્રમાં આગવી નામના છે, સરપંચ પણ રહો ચૂક્યા છે,