ગઢ પેથાણી વિદ્યાસંકુલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો..

સાડા ત્રણ કરોડ રૂપિયાનું આ સંસ્થામાં દાન લાવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી ખોડીદાસ પટેલનું મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે સન્માન કરાયું..

(રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા)

ગઢ કેળવણી મંડળ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલમાં શ્રી જોગજી ચેલાજી ઠાકોર સાયન્સ વિભાગના છેલ્લા પાંચ વર્ષના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યસ્થાને યોજાયો હતો..

જેમાં અગ્રણીશ્રી ગુમાનસિંહ ચૌહાણ અને શ્રી નંદાજી ઠાકોર, સોળગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ, દાતાશ્રી સંજયજી ઠાકોર, પેથાણી વિદ્યાસંકુલના પ્રમુખ- મંત્રી કારોબારી સભ્યો શાળા પરિવાર આને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે દાતા શ્રી સંજયજી ઠાકોર દ્વારા સાયન્સ વિભાગના નામકરણના અંદાજિત રૂપિયા ૩૦ લાખનું દાન આપેલ જેમાં જરૂર પડે ફરીથી પણ દાન આપવાની આજે જાહેરાત કરી હતી..