નવરાત્રિ પૂરી થયા બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસો મહિનામાં અષાઢી માહોલ જાવા મળી રહ્યો છે. આજે એટલે કે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયેલા હતા અને બપોર બાદ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે . જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે .ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની સિઝનનો ૧૦૦ ટકાથી વઘારે વરસાદ પડી ચૂક્યો છે અને હવામાન વિભાગે પણ ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી હતી . જે કે , એ જાહેરાત થયાને અઠવાડિયા બાદગઇકાલ એટલે કે બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા . જે । કે , આજે ગુરુવાર વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને વાદળો ઘેરાયા હતા . સાંજે પાંચ વાગ્યા પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે બીજી તરફ હાલ મગફળી કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદી વાતાવરણમાં માત્ર મગફળી જ નહીં પણ કપાસના પાકને લઈ પણ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अनंत चतुर्थी पर होंगे हैरतंगेज करतब
कोटा छावनी क्षेत्र में स्थित श्री नारायण व्यायामशाला के गुरु मनीष प्रजापति ने बताया कि श्री...
अबबबबब!!!!सापाने खाल्ला जिवंत मासा
अबबबबब!!!!सापाने खाल्ला जिवंत मासा
শৰতৰ আগমনৰ লগে লগে জীয়া ভৰলীৰ দুয়োপাৰে উপচি পৰিছে শুভ্ৰ কহুৱা..
শৰতৰ আগমনৰ লগে লগে জীয়া ভৰলীৰ দুয়োপাৰে উপচি পৰিছে শুভ্ৰ কহুৱা..
বাৰহপূজীয়াত বিনামূলীয়া চকু পৰীক্ষা শিবিৰ সম্পন্ন।
বাৰহপূজীয়াত দেওবাৰে বিনামূলীয়া চকু পৰীক্ষা শিবিৰ সম্পন্ন হৈ যায়।
...