સિહોર શહેરમાં ફૂડ ઈન્સપેકટર જ નથી, કાયમી માટે જગ્યા ખાલી હોવાથી મીઠાઇ અને ફરસાણ સહિતની દુકાનોમાં વેપારીઓ દ્વારા ભેળસેળયુક્ત મીઠાઈ અને ફરસાણ વસ્તુઓ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ બાબતે યોગ્ય પગલાં ભરાઈ તે જરૂરી છે, પ્રકાશના મહાપર્વ દિવાળીના તહેવાર આડે હવે જયારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સિહોર શહેરના અનેક વિસ્તારોમાં મંડપો ઉભા કરાઈને મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. વધુ પૈસાની લાલચે ભેળસેળ પદાર્થો વાપરીને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે પરંતુ કોઈ કહેવાવાળું નથી કારણ કે, સિહોર શહેરમાં ફ્ડ ઈન્સ્પેકટરની જગ્યા ખાલી છે જેથી આવા વેપારીઓને મોકળું મેદાન મળી ચૂક્યું છે પરંતુ આવી ભેળસેળયુક્ત મીઠાઈ અને ફરસાણ ખાવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહયાં છે આ ભેળસેળયુક્ત પદાર્થો ખાવાથી શરદી, ઉધરસ અને ઝાડા-ઉલટીના કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોવાથી આ પંથકમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નથી. જો ચેકિંગ હાથ ધરવામાં આવે તો કેટલાય વેપારીઓ તંત્રની ઝપટે ચડે તેમ છે. ફરસાણમાં વપરાતું તેલ, દૂધ અને માવાથી બનેલી મીઠાઈમાં કેવા ખાધ પદાર્થો વપરાયા છે તે બાબતે સધન ચકાસણી કરવામાં આવતી નથી. જેના કારણે આવા ભેળસેળ કરતા વેપારીઓને મોકળું મેદાન મળી ચૂક્યા છે. લાંબા સમયથી ફડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોવાથી ભેળસેળ કરતા વેપારીઓને હવે તંત્રનો પણ ડર રહ્યો નથી તેમ કહી શકાય.જિલ્લા આરોગ્ય તંત્ર નીયમીતપણે સરપ્રાઈઝ ચકાસણી કરે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે. તંત્રવાહકો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા વહેલી તકે અટકાવવામાં આવશે ખરી ? તે જોવાનું રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বহিঃৰাজ্যত বিহুক বিকৃতৰূপত প্ৰদৰ্শন কৰাত আহোম জাতীয় গণমঞ্চৰ প্ৰতিক্ৰিয়া
বহিঃৰাজ্যত বিহুক বিকৃতৰূপত প্ৰদৰ্শন কৰাত আহোম জাতীয় গণমঞ্চৰ প্ৰতিক্ৰিয়া
23rd Foundation Day of Ghilamara Press Club
The 23rd foundation day of the Dhakuakhana Ghilamara Press Club was celebrated throughout the day...
सुल्तानपुर मे स्कुलो की बालवाहिनियो की सघन जांच, 13 बालवाहिनियो के चालको को किया पाबंद ,कमी पाए जाने पर वसूला 13 हजार 600 रुपए जुर्माना
सुल्तानपुर.नगर में सडक सुरक्षा सप्ताह के तहत गुरुवार को पुलिस द्वारा बड़ी कार्यवाही की गई । जहां...
मिट्टी के गणेश बनाकर बच्चों ने दिया पर्यावरण संरक्षण का संदेश
राजकीय उच्च प्राथमिक विद्यालय सरसड़ी रामपुरा के शिक्षक सत्यनारायण प्रजापति ने प्राथमिक कक्षाओं के...
સુરતના લોન્ડ્રીના કારખાનામાં દુર્ઘટના
#buletinindia #gujarat #surat