પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ  પદુભાઇ રાયચુરા ખાદી પ્રત્યે અનેરો પ્રેમ ધરાવે છે હર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે માત્ર એક દિવસમાં રૂપિયા 51,500 ની ખાદીની ખરીદી કરી જે બાપુની કહેવત ખાદી વિચાર છે માત્ર વસ્ત્ર નથી એ ખરા રૂપમાં એમને સાર્થક કરેલ છે આ ખાદી એ એમના સર્વે સ્ટાફ તેમજ સગા સંબંધીઓને દિવાળી નિમિત્તે ભેટ સ્વરૂપે આપશે અને સમાજમાં સ્વદેશી પ્રત્યેનું એક અનેરૂ અને ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે તેમજ તેમનો સ્વદેશી અને હેન્ડીક્રાફ્ટ પ્રત્યે પણ અનેરો લગાવ ધરાવે છે લગ્ન પ્રસંગ હોય કે અન્ય તહેવારોમાં પણ ગૃહઉદ્યોગ અને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓની ખરીદી કરીને ભેટ સ્વરૂપે આપે છે.

આ ઉમદાકાર્ય કરવા બદલ ખાદી ભવનના પ્રમુખ અનિલભાઈ કારીયા,મંત્રી હરીશભાઈ મહેતા, મંત્રી  પાર્થભાઈ દત્તા અને વ્યવસ્થાપક રમેશભાઈ વિઠલાણીએ તેમના આ કાર્યને સમાજમાં ઉમદા  ઉદાહરણ પૂરું પાડવા બદલ બિરદાવેલ છે