સિહોર અમદાવાદ રોડ પર આવેલ રેલવે ફાટક બાંલો સમય બંધ રહેતા વાહનોની કતારો લાગી જાય છે અને ખાસ્સો સમય ઈંધણ અને સમયનો વેડફાટ થાય છે. જોકે આ રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બનાવવા અવાર નવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ જવાબદાર તંત્રના બહેરાકાને આ વાત અથડાતી નથી. જેથી કાયમી ટ્રાફીકનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. સિહોર શહેરમાં અમદાવાદ રોડ ઉપર રેલવે ફાટક આવેલ આ ફાટક ટ્રેન અથવા માલગાડીઓ આવવાની હોય તે પહેલા ૧૦ કે ૧૫ મીનીટે રેલવે ફાટક બંધ કરી દેવામાં આવે છે. અને ટ્રેન અથવા માલગાડી રેલવે સ્ટેશન પર આવીને પાંચ મીનીટમાં ઉપડી ગયા બાદ આગળના સીગ્નલ ન મળે ત્યા સુધી રેલવે ફાટક ખોલવામાં આવતુ નથી. આ રોડ ઉપર બે જી.આઇ.ડી.સી. આવેલ છે. તેમજ વડીયા, ઉસરડ તેમજ વલભીપુર, ઘાંઘળી, સમાડી, બરવાળા, ધંધુકા, ધોલેરા, અમદાવાદઆવા અનેક ગામો સિહોરથી જવા માટેએક જ રોડ છે. અને હાઇવે હોવાથી ચોવીશ કલાક આ રોડ નાનામોટા વાહનોથી ધમધમતો રહે છે અને આ રોડ પર આંખા દિવસ રાત દરમિયાન અવારનવાર ટ્રેન અથવા માલગાડી આવવાના કારણે લાંબો ટાઇમ ફાટક બંધ થઇ જવાના કારણે નાના મોટા વાહનોની બન્ને સાઇડોમાં કતારો લાગી જવાના કારણે ટ્રાફીક જામ થઇ જાય છે. અને સામ સામે વાહનો થઇ જવાના કારણે ઘણીવાર કલાકો સુધઈ વાહનો નીકળી શકતા નથી. ક્યારેક અમદાવાદ દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઇ જાય છે. તો વડીયા-ઉસરડ કે ઘાંઘણી જેવા ગામોમાં થઈ પણ ઇમરજન્સી દર્દીઓને સિહોર સરકારી દવાખાને કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લાવવા હોય ત્યારે પણ વ્યાપક અગવાડતા ભોગવવી પડે છે, આ અમદાવાદ રોડના ફાટક પર ઓવરબ્રીજ બનાવા માટે અવાર નવાર રજુઆતો કરવા છતા કોઇ જ નિર્ણય જવાબદાર તંત્ર દ્વારા લેવાતો નથી. અને લોકો રાહદારીઓ નછુટકેમુશ્કેલી વેઠવાનો વારો આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Kharge on PM: क्या आप इस गठबंधन के Convenor हैं ? कांग्रेस अध्यक्ष खरगे ने PM मोदी से पूछे तीन सवाल 
 
                      नई दिल्ली, कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने प्रधानमंत्री नरेंद्र मोदी पर निशाना साधा...
                  
   Mahindra Thar Roxx को पहले से बेहतर बनाएंगे ये 4 नए फीचर्स, 15 अगस्त को होगी लॉन्च 
 
                      आगामी थार 5-डोर को पैनोरमिक सनरूफ के साथ पेश किया जा सकता है। हालांकि अभी तक के स्पाई शॉट्स में...
                  
   Manmohan Singh Passes Away News: मनमोहन सिंह के निधन पर क्या बोले Akhilesh Yadav? | Aaj Tak 
 
                      Manmohan Singh Passes Away News: मनमोहन सिंह के निधन पर क्या बोले Akhilesh Yadav? | Aaj Tak
                  
   पिपरा नारायणपुरा निवासी 26 वर्षीय युवक टिकरिया से हुआ गायब,भाई ने शाहनगर थाना में दर्ज कराई गुमशुदगी रिपोर्ट। 
 
                       
 
 
 
 
शाहनगर पुलिस ने दिनाक 9 मई को बताया कि फरियादी राम जनक...
                  
   
  
  
  
  