સિહોર અમદાવાદ રોડ પર આવેલ રેલવે ફાટક બાંલો સમય બંધ રહેતા વાહનોની કતારો લાગી જાય છે અને ખાસ્સો સમય ઈંધણ અને સમયનો વેડફાટ થાય છે. જોકે આ રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બનાવવા અવાર નવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ જવાબદાર તંત્રના બહેરાકાને આ વાત અથડાતી નથી. જેથી કાયમી ટ્રાફીકનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. સિહોર શહેરમાં અમદાવાદ રોડ ઉપર રેલવે ફાટક આવેલ આ ફાટક ટ્રેન અથવા માલગાડીઓ આવવાની હોય તે પહેલા ૧૦ કે ૧૫ મીનીટે રેલવે ફાટક બંધ કરી દેવામાં આવે છે. અને ટ્રેન અથવા માલગાડી રેલવે સ્ટેશન પર આવીને પાંચ મીનીટમાં ઉપડી ગયા બાદ આગળના સીગ્નલ ન મળે ત્યા સુધી રેલવે ફાટક ખોલવામાં આવતુ નથી. આ રોડ ઉપર બે જી.આઇ.ડી.સી. આવેલ છે. તેમજ વડીયા, ઉસરડ તેમજ વલભીપુર, ઘાંઘળી, સમાડી, બરવાળા, ધંધુકા, ધોલેરા, અમદાવાદઆવા અનેક ગામો સિહોરથી જવા માટેએક જ રોડ છે. અને હાઇવે હોવાથી ચોવીશ કલાક આ રોડ નાનામોટા વાહનોથી ધમધમતો રહે છે અને આ રોડ પર આંખા દિવસ રાત દરમિયાન અવારનવાર ટ્રેન અથવા માલગાડી આવવાના કારણે લાંબો ટાઇમ ફાટક બંધ થઇ જવાના કારણે નાના મોટા વાહનોની બન્ને સાઇડોમાં કતારો લાગી જવાના કારણે ટ્રાફીક જામ થઇ જાય છે. અને સામ સામે વાહનો થઇ જવાના કારણે ઘણીવાર કલાકો સુધઈ વાહનો નીકળી શકતા નથી. ક્યારેક અમદાવાદ દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઇ જાય છે. તો વડીયા-ઉસરડ કે ઘાંઘણી જેવા ગામોમાં થઈ પણ ઇમરજન્સી દર્દીઓને સિહોર સરકારી દવાખાને કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લાવવા હોય ત્યારે પણ વ્યાપક અગવાડતા ભોગવવી પડે છે, આ અમદાવાદ રોડના ફાટક પર ઓવરબ્રીજ બનાવા માટે અવાર નવાર રજુઆતો કરવા છતા કોઇ જ નિર્ણય જવાબદાર તંત્ર દ્વારા લેવાતો નથી. અને લોકો રાહદારીઓ નછુટકેમુશ્કેલી વેઠવાનો વારો આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરમાં અતુલ બેકરી ખાતે વડાપ્રધાનના જન્મદિવસે 72 કિલોની કેક કાપીને ઉજવણી કરાઈ
પોરબંદરમાં અતુલ બેકરી ખાતે વડાપ્રધાનના જન્મદિવસે 72 કિલોની કેક કાપીને ઉજવણી કરાઈ
પીલોલ ગામની સીમમાં ખેડૂતોના ઘઉંની વાવણી કરેલા ખેતરમાં વગર જરૂરિયાતનો પાણી ભરાઈ જતાં હજારોનું નુકસાન.
પીલોલ ગામની સીમમાં ખેડૂતોના ઘઉંની વાવણી કરેલા ખેતરમાં વગર જરૂરિયાતનો પાણી ભરાઈ જતાં હજારોનું નુકસાન.
Narendra Modi 5G Launch : इंटरनेट किती वेगवान होणार? कोणत्या शहरात मिळणार सेवा? | Jio | Airtel
Narendra Modi 5G Launch : इंटरनेट किती वेगवान होणार? कोणत्या शहरात मिळणार सेवा? | Jio | Airtel
ગાંધીનગર ખાતે નોંધણી સર નિરીક્ષક કચેરી અંતર્ગત ચાર પકલપોનું લોકાર્પણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયાને વધુ આધુનિક અને ડિજિટલ...
પાલનપુરમાં 3 ગઠીયાએ રૂ. અઢી લાખ ગ્રાહકોના ખાતામાં નાખી ઠગાઇ આચરતાં ચકચાર
પાલનપુર આબુ હાઇવે બિહારીબાગ સામે આવેલા પેટ્રોલ પંપે રાત્રે 3:30 કલાકે એકટીવા લઈને આવેલા ત્રણ...