સિહોર અમદાવાદ રોડ પર આવેલ રેલવે ફાટક બાંલો સમય બંધ રહેતા વાહનોની કતારો લાગી જાય છે અને ખાસ્સો સમય ઈંધણ અને સમયનો વેડફાટ થાય છે. જોકે આ રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બનાવવા અવાર નવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ જવાબદાર તંત્રના બહેરાકાને આ વાત અથડાતી નથી. જેથી કાયમી ટ્રાફીકનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. સિહોર શહેરમાં અમદાવાદ રોડ ઉપર રેલવે ફાટક આવેલ આ ફાટક ટ્રેન અથવા માલગાડીઓ આવવાની હોય તે પહેલા ૧૦ કે ૧૫ મીનીટે રેલવે ફાટક બંધ કરી દેવામાં આવે છે. અને ટ્રેન અથવા માલગાડી રેલવે સ્ટેશન પર આવીને પાંચ મીનીટમાં ઉપડી ગયા બાદ આગળના સીગ્નલ ન મળે ત્યા સુધી રેલવે ફાટક ખોલવામાં આવતુ નથી. આ રોડ ઉપર બે જી.આઇ.ડી.સી. આવેલ છે. તેમજ વડીયા, ઉસરડ તેમજ વલભીપુર, ઘાંઘળી, સમાડી, બરવાળા, ધંધુકા, ધોલેરા, અમદાવાદઆવા અનેક ગામો સિહોરથી જવા માટેએક જ રોડ છે. અને હાઇવે હોવાથી ચોવીશ કલાક આ રોડ નાનામોટા વાહનોથી ધમધમતો રહે છે અને આ રોડ પર આંખા દિવસ રાત દરમિયાન અવારનવાર ટ્રેન અથવા માલગાડી આવવાના કારણે લાંબો ટાઇમ ફાટક બંધ થઇ જવાના કારણે નાના મોટા વાહનોની બન્ને સાઇડોમાં કતારો લાગી જવાના કારણે ટ્રાફીક જામ થઇ જાય છે. અને સામ સામે વાહનો થઇ જવાના કારણે ઘણીવાર કલાકો સુધઈ વાહનો નીકળી શકતા નથી. ક્યારેક અમદાવાદ દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઇ જાય છે. તો વડીયા-ઉસરડ કે ઘાંઘણી જેવા ગામોમાં થઈ પણ ઇમરજન્સી દર્દીઓને સિહોર સરકારી દવાખાને કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લાવવા હોય ત્યારે પણ વ્યાપક અગવાડતા ભોગવવી પડે છે, આ અમદાવાદ રોડના ફાટક પર ઓવરબ્રીજ બનાવા માટે અવાર નવાર રજુઆતો કરવા છતા કોઇ જ નિર્ણય જવાબદાર તંત્ર દ્વારા લેવાતો નથી. અને લોકો રાહદારીઓ નછુટકેમુશ્કેલી વેઠવાનો વારો આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্বনাথৰ মহালক্ষ্মী চাহ বাগিছাত আছাৰ উদ্যোগত স্বৰ্গীয় জাষ্টিন লাক্ৰা সোৱৰণিত ৫ ম বাৰ্ষিক ফুটবল খেল প্ৰতিযোগিতা
আজি দেওবাৰে সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থা বৰপথাৰ আঞ্চলিক সমিতিৰ উদ্যোগত আৰু সমূহ প্ৰাথমিক গোট সমিতি...
દિયોદર ખાતે સમસ્ત જલારામ સત્સંગ મંડળ દ્રારા દર ગુરૂવારે ગૌસેવા હેતુ પૂજ્ય જલારામ બાપાના ભજનનો થયો શુભારંભ..
જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા ધાનેરા,પાલનપુર,ભીલડી ખાતે દર ગુરૂવારે પૂજ્ય...
દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વ સિંગવડ ખાતે રિહર્સલ
દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે સીંગવડ ખાતે થયું રિહર્સલ ધ્વજવંદન કરવાની...
South Korea Plane Crash में कैसे बचे दो लोग? (BBC Hindi)
South Korea Plane Crash में कैसे बचे दो लोग? (BBC Hindi)
duplicate નકલી પાસપોર્ટ વિઝા કોભાંડ સામે આવ્યો, ૧ વ્યક્તિ ઝડપાયો, વધુ વિગત માહિતી sms news ઉપર જોવો
duplicate નકલી પાસપોર્ટ વિઝા કોભાંડ સામે આવ્યો, ૧ વ્યક્તિ ઝડપાયો, વધુ વિગત માહિતી sms news ઉપર જોવો