શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.