જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં રહેતા દરજીકામ કરતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં રહેતા અને શહેરના સરદાર માર્કેટમાં પાટીદારવાળી શેરીમાં સિદ્ધિ વિનાયક ટેઈલરના નામે દુકાન ચલાવતા જગદીશ મૌલેશભાઈ ગોહિલ(ઉ.વ.38) અગમ્ય કારણોસર પોતાની દુકાનમાં રહેલા પંખા સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લેતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની જાણ થતાં તેના પરિવારજનો તાત્કાલિક દુકાન ખાતે દોડી આવ્યા હતા અને મૃતકને પોલીસ સ્ટાફની હાજરીમાં નીચે ઉતારી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ઘેરોશોક છવાઈ ગયો હતો. આ બનાવમાં જસદણ પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની લાશને જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી.આ બનાવમાં મૃતકના નાનાભાઈ જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારા મોટાભાઈ દ૨૨ોજ બપોરે જમવા માટે ઘરે જાય છે. પરંતુ આજે સાંજના 7 વાગ્યા સુધી ઘરે જમવા ન આવતા હું દુકાને ગયો ત્યારે મારા મોટાભાઈ પંખા સાથે લટકતા હતા. જેથી મેં મારા પરિવારને જાણ કરી હતી અને બાદમાં જસદણ પોલીસને જાણ કરી હતી. મારા ભાઈના 12 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેને સંતાનમાં એક 2 વર્ષની દીકરી છે. પરંતુ મારા મોટાભાઈએ ક્યા કારણોસર આ પગલું ભરી લીધું તે અમને ખ્યાલ નથી. હાલ આ બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rojgar Mela: 70 हजार युवाओं को सौंपे नियुक्ति पत्र, कांग्रेस पर तीखे वार; पढ़ें रोजगार मेले में क्या बोले PM
नई दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी ने आज वीडियो कॉन्फ्रेंसिंग के जरिए रोजगार मेले...
નસવાડી: સગીરાને ભગાડી જનાર યુવાન સામે મુસ્લિમ સમાજનો આક્રોશ @JANTA FIRST
નસવાડી: સગીરાને ભગાડી જનાર યુવાન સામે મુસ્લિમ સમાજનો આક્રોશ @JANTA FIRST
Sabarkantha: વડાલી Bank Of Baroda દ્વારા RBI Bank ગ્રાહકજાગૃતિ શિબિર| digital transactions Awareness
Sabarkantha: વડાલી Bank Of Baroda દ્વારા RBI Bank ગ્રાહકજાગૃતિ શિબિર| digital transactions Awareness
ಬೆಂಗಳೂರಿನ ಸಂಜಯನಗರದಲ್ಲಿ ಜೂನ್ 27ರಿಂದ 30ರವರೆಗೆ "ಶ್ರೀ ಆಂಜನೇಯ ಯುವಕ ಮಂಡಳಿ ಮತ್ತು ಶ್ರೀ ಲಕ್ಷೀ ಶೋಭಾನೆ ಮಹಿಳಾ ಮಂಡಳಿಯ ರಜತ ಮಹೋತ್ಸವ ಸಮಾರಂಭ - ಯುವವಿಶ್ವೇಶ ಸಮಾಗಮ" ನಡೆಯಿತು.
ಜೂನ್ 30, 2024
ಬೆಂಗಳೂರಿನ ಸಂಜಯನಗರದಲ್ಲಿ ಜೂನ್ 27ರಿಂದ 30ರವರೆಗೆ "ಶ್ರೀ ಆಂಜನೇಯ ಯುವಕ ಮಂಡಳಿ ಮತ್ತು...
Google Gemini का यह जेनरेटिव AI फीचर हुआ बंद, गूगल को भारी पड़ी गलती
Google को Gemini के जेनरेटिव AI की एक गलती भारी पड़ी जिसके चलते उसे इस फीचर को बंद करना पड़ा है।...