કમલાબાગ પોલીસ મથકમાં પત્રકાર પર હુમલાની ઘટનાને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના પત્રકાર આલમમાં ભારે રોષ જોવા મળી રહ્રાો છે. ત્યારે આ બાબતે પોરબંદર પત્રકાર સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં ઈલેકટ્રોનિક મીડીયાના રીપોર્ટર ઋષિ થાનકી પર હુમલો કરી આરોપી પ્રફુલ દતાણી નામના શખ્સે તેનો કેમેરો તોડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. એક પી.એસ.આઈ. સહિત પોલીસકર્મીઓ અને મોટી સંખ્યામાં હાજર રહેલા મીડિયા કર્મીઓની ઉપસ્થિતિમાં જ આ ઘટના બની હતી. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ઘટનાને લઈને પત્રકારોમાં ભારે રોષ જોવા મળી રહ્રાો હતો. તો બીજી તરફ બીજી ઓકટોબર નિમીતે પોરબંદર પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આ બાબતે પોરબંદર પત્રકાર સંઘના મહામંત્રી, પત્રકાર એકતા પરિષદ પોરબંદરના જિલ્લા પ્રમુખ અશોક થાનકીએ રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ઋષિ થાનકી પર હુમલો કરનાર પ્રફુલ દતાણી નામના શખ્સની સામે કડક કાર્યવાહી કરવા તેમજ ગુજરાતમાં થતા આવા પત્રકારો પરના હુમલાની ઘટનાઓ અટકે તે માટે કડક પગલા ભરવા માંગ કરવામાં આવી હતી. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પોરબંદરના નિષ્ઠાવાન પત્રકારો માટે હકારાત્મક અભિગમ અપનાવી સમય ઓછો હોવા છતાં કારમાં બેસીને પણ આવેદનપત્ર વાંચી અને આ બાબતે લાગતા-વળગતા વિભાગોને કડક કાર્યવાહી કરવા સૂચનોની નોંધ કરી હતી.
પોરબંદરમાં પત્રકાર પર હુમલો થતા સૌરાષ્ટ્રના પત્રકાર આલમમાં ભારે રોષ
પોરબંદરના પત્રકાર સંઘે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ આવેદનપત્ર પાઠવ્યું
પ્રફુલ દતાણી સહિત પત્રકારો પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહીની ઉગ્ર માંગ કરવામાં આવી
આ તકે પોરબંદર પત્રકાર સંઘના હિતેશ ઠકરાર, વિપુલ ઠકરાર, પ્રતિશ શીલુ, અજય શીલુ, તેજસ પટેલ, નિમેષ ગોંડલીયા, સિધ્ધાર્થ બુધ્ધદેવ, પરેશ પારેખ, મિલન ઠકરાર, કિશન ચૌહાણ, વિવેક ઠકરાર,જીતેશ ચૌહાણ, સચીન મદલાણી, નિપુલ પોપટ, મહેશ લુક્કા અને વિપુલ રાઠોડ સહિતના મીડિયાકર્મીઓ હાજર રહ્રાા હતા. જો કે આ ઘટનામાં પોરબંદર પોલીસે પણ હકારાત્મક અભિગમ દાખવી તુરંત જ સરકાર આપી અને ફરિયાદ દાખલ કરી પ્રફુલ દતાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..