સુરત શહેરના હજીરા થી ઘોઘા રોરો ફેરી સમયસર ન ઉપાડતા રહીશોએ વિરોધ નોંધાવ્યો.

હજીરા-ઘોઘા રો-રો ફેરી સમયસર ન ઊપડતાં 1 હજાર લોકો 4 કલાક સુધી અટવાયા હતા

સુરતના હજીરાથી ઘોઘા જતી રો-રો ફેરીના સમયમાં ફેરફાર

કરવામાં આવતા મુસાફરો અટવાયા હતા. વહેલી સવારથી

રોરો ફેરીના સ્ટેશન ખાતે મુસાફરો પહોંચી ગયા બાદ

સમયસર શરૂ ન થતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

સવારે 8 વાગ્યાને બદલે 11 વાગ્યા પછી રોરો ફેરી ઊપડશે

તેવા જવાબ મળતા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા હતા.

લોકો સવારે 7 વાગ્યાથી હજીરા સ્થિત રો-રો ફેરી ટર્મિનલ

ખાતે આવી ગયા હતા. જેથી લોકો 4 કલાક સુધી અટવાાઈ ગયા હતા.

સુરતના હજીરા ખાતેથી ભાવનગરના ઘોઘા સુધી દરિયા

માર્ગેથી રો-રો ફેરી સુવિધા ચાલી રહી છે. સુરતથી રો-રો

ફેરીનો ઊપડવાનો સમય સવારે 8 વાગ્યાનો છે. જેને લઇને

મુસાફરોએ 7 વાગ્યા સુધીમાં આવી જવું પડતું હોય છે,

જોકે, આજે કોઈ કારણોસર રો-રો ફેરી સમયસર ઊપડી

શકી નથી. જેને લઇ યાત્રીઓમાં ખૂબ જ રોષ જોવા મળ્યો

હતો. સવારે 8 વાગે ઊપડતી રો-રો ફેરી ક્યારે ઊપડશે

તેનો મુસાફરોને કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં

આવ્યો ન હતો. બાદમાં 11 વાગ્યા બાદ ઊપડશે તેવું

મુસાફરોને જણાવવામાં આવ્યું હતું. જેને લઈને વહેલી

સવારના આવેલા મુસાફરો રોષે ભરાયા હતા.