જિલ્લા કલેકટર શ્રી કે. એલ.બચાણીએ ગાંધી જયંતીના અવસરે

 ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

આજે ૨ ઓક્ટોબર, રવિવારના રોજ વિશ્વભરમાં ૧૫૩મી ગાંધી જયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે મહાત્મા ગાંધી જન્મ જયંતિના અવસરે જિલ્લા કલેકટર શ્રી કે. એલ. બચાણીએ મીલ રોડ, નડિયાદ ખાતે આવેલી ગાંધી પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. 

 ગાંધી જયંતિ ઉપક્રમે જિલ્લા કલેકટરશ્રીએ નડિયાદ સિનિયર સિટીઝન કાઉન્સિલર સભ્યો સાથે સિનિયર સિટીઝનો માટે ગવર્મેન્ટ યોજનાઓ માટે કેમ્પ આયોજનની ચર્ચા કરી હતી.

આ પ્રસંગે નડિયાદ મામલતદાર શ્રી જૈમીનીબેન ગઢીયા, ચીફ ઓફિસર શ્રી રુદ્રેશ. જે. હુદડ, સિનિયર સિટીઝન કાઉન્સિલર શ્રી મનુભાઈ રાઠોડ, ભરતભાઈ પંડ્યા સહિત અન્ય આગેવાનો, નગરજનો, અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ ઈરફાન મલેક