અંકલેશ્વર થી મુસાફરો ભરી વલસાડ આવતી એસટી બસ અચાનક આજ બપોરે વલસાડના કાપરી રેલવે ફાટકના ટ્રેક પર બસ બંધ પડતા સામેથી યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન આવતા મુસાફરો પોતાના જીવતા જીવે મોતના દ્રશ્યો જોયા હતા અચાનક ટ્રેન રેલ્વે ફાટક પાસે અટકી જતા બસના મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો ઘટનાની જાણ રેલ્વે પોલીસ તથા આરપીએફ પોલીસ દોડી ગઈ હતી જો કે 12 મિનિટ સુધી ટ્રેન અટકી હતી અને બસ ના કારણે 30 મિનિટ સુધી ટ્રાફિક ગામના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે મોટો અકસ્માત થતા અટકી જતા રેલવે વિભાગ અને એસટી ડેપો વિભાગે રાહતનો દમ દીધો હતો