છેવાડા ના વિસ્તારો ને મુખ્ય રસ્તા સુધી જોડાશે.

ફતેપુરા વિધાનસભા મતવિસ્તાર ના ધારાસભ્ય અને વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારા એ ફતેપુરા અને સંજેલી તાલુકા માં નવિન તેમજ તૂટી ગયેલા રસ્તાઓના નીવિનીકરણ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ને રજુઆત અને ભલામણ કરી હતી.જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના વર્ષ:- ૨૦૨૨-૨૩ હેઠળ વિવિધ યોજનાઓ મળી કુલ અંદાજિત રકમ રૂ.૦૭.૨૦.૦૦/- કરોડ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ:- ૨૦૨૨-૨૩ હેઠળ અંદાજિત રકમ રૂ.૧૯.૮૯.૦૦/- કરોડ મંજૂર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યા હતા. જે બદલ દંડક રમેશભાઈ કટારાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) નો ખુબ ખુબ આભાર માન્યો હતો. છેવાડા ના વિસ્તારો હવે મુખ્ય માર્ગો સાથે જોડાશે. જેમાં પ્રજા ને વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થશે.એવું દંડક રમેશભાઇ કટારાએ જણાવ્યું હતું.