જો તમે AMTS કે BRTS બસમાં મુસાફરી કરો છો તો 29 અને 30 સપ્ટેમ્બરના રોજ તમારે રીક્ષા અથવા તો અન્ય વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડશે કારણ કે આ બંને દિવસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTSની બસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લોકોને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાશે. સૂત્રોના જણાવ્યા મુજબ 29મી સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે 400 અને 30મી સપ્ટેમ્બરના રોજ સવારે 800 AMTS અને BRTS બસો આ તમારો માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે જેથી અમદાવાદીઓએ પોતાના નોકરીના સ્થળેથી આવવા અને જવા માટે ખાનગી વાહનો અથવા તો રીક્ષામાં મુસાફરી કરવી પડશે.

કાર્યક્રમના દિવસે લોકો સમયસર તેમના સ્થળ સુધી પહોંચે તેના માટે ફાળવાયેલી બસોનું સંચાલન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇ ગવર્નન્સ વિભાગ અને AMTS વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવશે.