ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે બે દિવસ પહેલા રાત્રે બે વાગ્યાના સમયે કોઈ અજાણ્યા ટ્રક ચાલક માતેલા સાંઢની જેમ પુર ઝડપે બસ સ્ટેશન વિસ્તારમાં આવી રાત્રે બેઠલા પશુઓમાંથી એક વાછરડી પર ટ્રક ચઢાવી દેવામાં આવ્યું હતું અને વાછરડી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થય હતી અને ચાર કલાક બાદ વાછરડી મૃત્યુ પામી હતી આ તમામ ઘટના CCTV કેમેરા માં કેદ છે ત્યારે હાલના સમયમાં બની બેઠેલા વાહન ચાલકોની બેદરકારીના કારણે અબોલ પશુઓને જીવ ગુમાવવાનો વારો આવે છે 

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા-મહુવા