ઢોર નિયંત્રણ કાયદાનું બિલ મૂકવામાં આવતા રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સમાજમાં વિરોધનો વંટોળ ઊઠ્યો હતો. અને આથી જ બુધવારના દિવસે તમામ માલધારી સમાજે પોતાની હોટલો બંધ રાખવા સાથે ગામડાના પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરવાનું ટાળ્યું હતું. અને આથી જ જિલ્લાની સૌથી મોટી સૂરસાગર ડેરીમાં દૂધની આવકમાં 80 ટકા જેટલો એટલે કે 5.20 લાખ લીટર દૂધની આવક ઘટી હતી.રાજય સરકારે વિધાનસભામાં ઢોર નિયંત્રણ કાયદો બનાવવા માટે કડક નિયમો સાથેનું બીલ મૂક્યું હતું. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સમાજમાં પણ વિરોધ ઊઠયો હતો. અને આથી જ આને કાળો કાયદો ગણાવીને બુધવારના દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ માલધારીઓએ પોતાની હોટેલો બંધ રાખીને ડેરીમાં દૂધ નહીં ભરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને જિલ્લામાં જોરદાર સમર્થન મળ્યું હતું.સવારથી જ સુરેન્દ્રનગર, વઢવાણ શહેરની સાથે તમામ તાલુકા મથકો અને ગામડાઓમાં પણ માલધારી સમાજની હોટલો બંધ રહી હતી. જેમાં ખાસ કરીને હળવદમાં માલધારી સમાજે હોટેલો બંધ રાખીને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. જ્યારે લખતરમાં ગાયોને દૂધ પીવડાવીને આ કાયદા સામે નારજગી બતાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સૂરસાગર ડેરીમાં ગામડે ગામડે કુલ 724 મંડળી આવેલી છે. જેમાં 1.25 લાખ પશુપાલક જોડાયેલા છે. આ પશુપાલકો દરરોજ 6.50 લાખ લીટર દૂધ ડેરીમાં ભરીને દરરોજ 2.50 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે. જાહેર કરેલી હડતાળને પગલે સૌથી અસર વધુ દૂધની આવકમાં થઇ હતી. બુધવારનાં દિવસે સૂરસાગર ડેરીમાં દૂધની આવકમાં અંદાજે 5.20 લાખ લીટરનો ઘટાડો નોંધાયો હતો. અનેક ગામડાઓમાં તો દૂધમંડળીની ઓફિસો પણ ખોલવામાં આવી ન હતી.સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા એક દિવસીય દૂધ બંધનુ એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધા માલધારી સમાજ દ્વારા પણ તે બંધને અને માલધારીના ધર્મ ગુરુના આહવાનને ટેકો જાહેર કરી સંપૂર્ણપણે દૂધ બંધ કર્યું હતું. ધ્રાંગધ્રા માલધારી સમાજ દ્વારા મચ્છુ માતાજીના મંદિરે દૂધ સાથે ભેગા મળી હોસ્પિટલ, વિદ્યાર્થીઓ અને જરૂરીયાત વર્ગના લોકોને નિઃશુલ્ક દૂધ આપવામાં આવ્યું હતું. આ સાથે ધ્રાંગધ્રા માલધારી સમાજ દ્વારા પણ રખડતા ઢોરોનો કાયદો પાછો ખેંચવા સરકારને રજૂઆત સાથે માગ કરી હતી.દૂધ નહીં ભરવાની જાહેરાત થતાની સાથે લોકોએ રાત્રિના સમયે જ દૂધની થેલીનો સ્ટોક કરી નાખ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારમાં તો મોડી રાત સુધી લોકોએ દૂધ લેવા માટે રાહ જોઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াৰ হিজুগুৰিত বিকি মাহাতু নামৰ লোকজনৰ মৃতদেহ উদ্ধাৰ সন্দৰ্ভত পিতৃৰ প্ৰতিক্ৰিয়া
তিনিচুকীয়াৰ হিজুগুৰিত বিকি মাহাতু নামৰ লোকজনৰ মৃতদেহ উদ্ধাৰ সন্দৰ্ভত পিতৃৰ প্ৰতিক্ৰিয়া
Tech Tips: अनऑफिशियल सोर्स से ऐप इंस्टॉल करना क्यों खतरनाक है? कुछ बातों का रखें खास ख्याल
हमारे स्मार्टफोन में बहुत से ऐप होते हैं जो अलग-अलग काम के लिए डाउनलोड किए जाते हैं। कभी-कभी आप...
মৰাণতআটাছুৰ সংবাদ মেল।আটাছুৰ কেন্দ্ৰীয় সমিতিৰ বিতৰ্কিত মিলন বুঢ়াগোঁহাইক কেন্দ্ৰীয় সমিতিৰ সভাপতি পদৰ পৰা অপসাৰণ।
আটাছুৰ কেন্দ্ৰীয় সমিতিৰ বিতৰ্কিত সভাপতি মিলন বুঢ়াগোহাঁইক কেন্দ্ৰীয় সমিতিৰ সভাপতি পদৰ পৰা অপসাৰণ ।...
ડીસા જી આઇ ડીસી માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના દરોડા..
ડીસા જી આઇ ડીસી માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના દરોડા,..
મસાલા ફેક્ટરી માં દરોડા પાડી મરચુ, હળદરના...
દરગાહ ડિમોલેશન મામલે વિડીયો વાયરલ થયા બાદ ગાંગાભાઈ એ પ્રતિક્રિયા આપી
દરગાહ ડિમોલેશન મામલે વિડીયો વાયરલ થયા બાદ ગાંગાભાઈ એ પ્રતિક્રિયા આપી