ઈશ્વરિયાના માલધારી રબારી સમાજે દૂધ વેચવાના બદલે કરાવ્યું પ્રસાદ ભોજન માલધારીઓનાં પશુઓ સંદર્ભે સરકાર સાથેની માંગ અનુસંધાને નવતર આયોજન કરીને ક્યાંય દૂધ વેચાણ ન કરવા હાકલ કરવામાં આવેલ. દૂધ વેચવાના બદલે આજે ઈશ્વરિયા ગામના રબારી સમાજ દ્વારા પોતાના પશુઓનું દૂધ પ્રસાદ તરીકે વાપર્યું છે. અહીંના રબારી ગોહિલ પરિવાર સાથે સાધુ અને બ્રાહ્મણોએ દૂધ સાથે ભોજન પ્રસાદ લાભ લીધો છે.