આજરોજ ઉમરેઠ કાછીયા પટેલની વાડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમરેઠ દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો હતો. જેમાં 100 થી વધુ જરૂરિયાત મંદોએ ભાગ લીધો હતો. તેમાં સ્વયંસેવક તરીકે હિન્દુ ધર્મ સેના ઉમરેઠ શહેર અધ્યક્ષ આશિષકુમાર કાછિયા, જીગ્નેશ કાછિયા, અંકેશ કાછિયા તથા રજનીકાંત કાછીયા ઉપસ્થિત રહીને જરૂરિયાત મંદોને નવા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.