સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને ધુપ-છાંવનો માહોલ છવાયેલ છે. છેલ્લા થોડા દિવસોથી સતત પડી રહેલા વરસાદે વિરામ લેતા અને વરાપ નીકળતા ખેડૂતો હવે ખેતીકાર્યમાં લાગી ગયા છે.છેલ્લા ઘણા દિવસોથી વરસી ગયેલા અવિરત વરસાદ બાદ હવે પાકને “તડકા'ની ખાસ જરૂર છે અને તડકો નીકળ્યા બાદ પાકને ફાયદો થાય તેવી શક્યતા છે. ઘણા વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી જતા ત્યાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.છેલ્લા બે દિવસથી સૂર્ય નારાયણના દર્શન ઘણા લાંબા દિવસો પછી થયા છે અને વરાપ નીકળતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત થયા છે. વાડી - ખેતરોમાં વાવણી બાદ પાકની માવજત લેવાની ખાસ જરૂરીયાત હતી તેવા સમયે સતત વરસાદ વરસતા રહેતા પાકમાં નુકસાન થવાની ભીતી છે. અનેક જગ્યાએ વધુ વરસાદી પાણીના કારણે પાક નિષ્ફળ, પણ ગયો છે સિહોર શહેર કે અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લેતા અને તડકો નીકળતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિધ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષો મળ્યા | SatyaNirbhay News Channel
સિધ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષો મળ્યા | SatyaNirbhay News Channel
વલભીપુર તાલુકાના કંથારીયા ગામે વિજળી પડતા એક શ્રમિક યુવકનું મોત નીપજયું હતું
વલભીપુર તાલુકાના કંથારીયા ગામે વિજળી પડતા એક શ્રમિક યુવકનું મોત નીપજયું હતું
राजस्थान डीजीपी ने पुलिसकर्मियों को दिया बड़ा आदेश, वर्दी में रील और वीडियो बनाने पर होगी कड़ी कार्रवाई
प्रदेश में सोशल मीडिया के विभिन्न प्लेटफार्म पर वर्दी में 'गैर पुलिसिंग मुद्दों' पर वीडियो, रील...
PM Narendra Modi departs from 'The Ashok Hotel' after attending NDA leaders' meeting in Delhi.
PM Narendra Modi departs from 'The Ashok Hotel' after attending NDA leaders' meeting in Delhi.