કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજીએ આટકોટ સ્થિત શ્રી કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લઈ સમગ્રતયા વ્યવસ્થાપન, ઉપલબ્ધ સુવિધાઓ, સારવાર પદ્ધતિઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના અંતર્ગતની કામગીરીની વિશેષપણે સમીક્ષા કરી હતી‌.

આ પ્રસંગે તેમણે હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓ સાથે સંવાદ કર્યો હતો.