મહુધા ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં જન્મ દિવસની નિમિત્તે રક્તદાન શિબિર યોજાયો.

મહુધા શહેર માં સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ માં મહુધા શહેર અને તાલુકા ભાજપા સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન નિમિત્તે રક્ત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહુધા શહેર ભાજપા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,મહામંત્રી નટુભાઈ સોઢા, યુવા મોરચા મહામંત્રી તથા મહુધા તાલુકા પંચાયત પ્રમુખ નાં પ્રતિનિધિ ,તાલુકા પંચાયત કારોબારી ,તાલુકા પંચાયત સભ્ય , ખેડા જિલ્લા પંચાયત કારોબારી સભ્ય જિલ્લા સંગઠન મહામંત્રી, તાલુકા સંગઠન પ્રમુખ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

જ્યારે આ અવસરે કોલેજના આચાર્ય તથા પ્રોફેસર સહિત મહાનુભાવો રક્ત દાન કરી અને બીજા લોકોને રક્ત દાન કરવા પ્રેરણા આપી હતી ..રિપોર્ટ ઈરફાન મલેક