હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.