ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના ૭૨ માં જન્મદિવસ નિર્મિતે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના આડીનાર સ્થળે ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ઉદેસિંહ પરમાર ના સેવા કાર્યલય ઉપર વાલ્મિકી સમાજની દીકરીઓના હસ્તે કેક કાપી અને માન.મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ શર્મા, મહુધા તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી ગોવિંદભાઈ વાઘેલા, નડિયાદ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી શ્રી પ્રવિણસિંહ સોઢા તથા યુવા મોરચાના મહામંત્રી કનકસિંહ , નડિયાદ તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી મહેશભાઈ રાઠોડ , કંજોડા ગામના વાલ્મિકી સમાજના આગેવાનો તેમજ અલીન્દ્રા ગામના ભાજપ વરિષ્ઠ આગેવાન શ્રી કે. સી. પુરોહિત સાહેબ અને ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચા કારોબારી સભ્યશ્રી ગિરીશસિંહ સોઢા તથા સૌ કાર્યકર્તા આગેવાનો ઉપસ્થિત રહ્યા.રિપોર્ટ ઈરફાન મલેક