અમદાવાદ જિલ્લાના ધંધુકા-બગોદરા રોડ HJ હરીપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.અકસ્માત ઝોનમાં આવતા ધંધુકા-બગોદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફેદરા 108 એમ્બ્યુલન્સ વાન તાકીદે ઘટના સ્થળે દોડી ગઇ હતી.જ્યારે પોલીસે પણ તાકીદે બનાવના સ્થળે દોડી જઇ તમામ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.