રાજુલામાં મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીમાં આઉટસોર્સિંગમાંથી ફરજ બજાવતા કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ ઉકેલવાની માંગ કરવામાં આવી હતી.રાજુલામાં પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં અનેક કર્મચારીઓ આઉટસોર્સિંગથી પોતાની ફરજ બજાવી રહ્યા છે.કર્મચારીઓ દ્વારા મામલતદારને પાઠવાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર,આઉટસોર્સિંગ,માનદ વેતન જેવી શોષણ ભરી નીતિઓ દૂર કરવામાં આવે,આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવામાં આવે,એજન્સી મારફત કર્મચારીની નિમણૂકને બદલે સરકાર દ્વારા નિમણૂક અને વેતન આપવામાં આવે,વગેરે માંગણીઓ કરવામાં આવી હતી. આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે આ પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી તારીખ 17 મીથી અચોક્કસ મુદતની હડતાલ પાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

રિપોર્ટર: - કિનલ પંડ્યા રાજુલા..