અમરેલી, ચાંપાથળ, પ્રતાપપરા અને ફતેપુર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા

ચેતવણી સહ સૂચના

અમરેલી, તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ (બુધવાર) તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ને બુધવાર રોજ સાંજે ૭:૪૦ કલાકે જિલ્લાના અમરેલી તાલુકાના અમરેલી ગામ પાસે ઠેબી નદી ઉપર આવેલા ઠેબી સિંચાઈ યોજનાના નિર્ધારીત સપાટી જાળવવા માટે આ જળાશયના ૮ (આઠ) દરવાજા ૦.૩૦ મીટર ખોલવામાં આવ્યા છે, તેનો પ્રતિ સેકેન્ડ પ્રવાહ ૪,૪૪૮ ક્યુસેક છે. આથી ઠેબી જળાશયની નીચાણ વાળા વિસ્તારના અમરેલી, ચાંપાથળ, પ્રતાપપરા અને ફતેપુર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના આપવામાં આવી છે. 

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.