એસ.એસ. મહેતા આર્ટસ અને એમ. એમ. પટેલ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે ૧૪ સપ્ટેમ્બર ના રોજ હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના આરંભે ડોક્ટર આર એન જોશી એ શ્લોક ગાન કરેલ. સ્વાગત પ્રવચન ઇન્ચાર્જ પ્રાધ્યાપક કેવી પંડ્યાશરે કરેલ. કાર્યક્રમની ભૂમિકા હિન્દી વિભાગના અધ્યાપિકા કે જી રાઠોડ એ બાંધી હતી. હિન્દી દિવસ નિમિત્તે ડો.બી.જી. પરમારે હિન્દી દિવસ વિશે વિગતે માહિતીપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે પ્રસંગોચિત વાત નેક કન્વીનર ડો. પીએમ જોષીએ કરી હતી ‌. આભાર દર્શન ડો.પારુલ શુક્લાએ કર્યું. જ્યારે સમગ્ર કાર્યનું સુયોગ્ય સંચાલન ડો. રૂપા બેને કર્યું હતું. આ પ્રસંગે હિંન્દી ભાષાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો.