શ્રી ઉદય કારવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ પોરબંદર દ્વારા ગૌસેવા હેતુસર પોરબંદર ખાતે   સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજકોના આમંત્રણને માન આપી પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાએ આ સંગીત સંધ્યામાં હાજરી આપી હતી.
ટ્રસ્ટ દ્વારા લમ્પીગ્રસ્ત ગૌવંશ ની સારવાર અને દેખરેખ રાખવામાં આવે છે.આયોજકો દ્વારા ગૌવંશ ની સારવાર માટે ગૌવંશને હેરફેર કરવા માટે ટ્રસ્ટને વાહનની જરૂરિયાત હોય નવું વાહન લેવા માટે આર્થિક સહયોગ માટે પહેલ કરવામાં આવેલ.આ અવસરે પાયોનિયર ક્લબના પ્રમુખશ્રી પ્રવિણભાઈ ખોરાવાએ પહેલ કરી રૂપિયા ₹51000/- નું યોગદાન આપવાની જાહેરાત કરેલ છે.