અમરેલી, ચાંપાથળ, પ્રતાપપરા અને ફતેપુર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના

અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સાંજે ૬.૧૦ કલાકે જિલ્લાના અમરેલી તાલુકાના અમરેલી ગામ પાસે ઠેબી નદી ઉપર આવેલા ઠેબી સિંચાઈ યોજનામાં જળાશયના ૦૧ દરવાજો ૦.૧૫ મીટર

ખુલ્લો હતો. આજ રોજ જળાશયની પાણીની આવકમાં વધારો થતો રુલ લેવલ જાળવવા માટે આ જળાશયનાં ૦૨ દરવાજા ૦.૩૦ મીટર ખોલવામાં આવ્યા છે. તેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧,૧૧૨ કયુસેક છે. જેમાં ઠેબી જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામો અમરેલી, ચાંપાથળ, પ્રતાપપરા અને ફતેપુર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના

આપવામાં આવે છે.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી