‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે અંદાજિત રૂપિયા ૫.૧૦ કરોડના ખર્ચે આણંદ અને ઉમરેઠ તાલુકાના વિવિધ ૩૦૦ જેટલા કામોનું ઈ - લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટે સૌને આવકારી ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.