મહુધા તાલુકાના નિઝામપુર ખાતે વેદ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ મહુધા દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં વિનામૂલ્યે નિદાન અને દવાઓ આપવામા આવી હતી હોસ્પિટલ ફાઉન્ડેશન નાં ડો.અલ્કેશ ભાઈ રાઠોડ (ઓર્થોપેડીક સર્જન) તથા ડો.વૈભવ ભાઈ પટેલ (ઓર્થોપેડીક સર્જન) દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ ને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું

તેમજ નિઝામપુર સ્થાનિક લોકોએ ફ્રી મેડિકલ કેમ્પ નો લાભ લીધો હતો જેમાં ગામનાં સરપંચ તથા નિઝામપુર દુધ ઉત્પાદક ડેરી નાં સભ્ય નાં સાથ સહકાર થી ફ્રી મેડિકલ કેમ્પ ને સફળ બનાવ્યો હતો

આ કેમ્પમાં લાભાર્થીઓ એ વેદ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ નાં ડોક્ટર તથા સ્ટાફ નો ખુબ ખુબ આભાર માન્યો હતો અને સાથે સાથે અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટ ઇરફાન મલેક