નિરોણા પૂર્વ બન્નીમાં છેલ્લા કેટલાક સમયથી મેલેરિયાની બીમારીએ માથું ઊંચકતા માલધારી વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. પંથકના ગોરેવાલી આ. કેન્દ્રમાં યોગ્ય સારવારના અભાવે દર્દીઓને ન છૂટકે ખાગની ડોક્ટરો પાસે જવું પડે છે.ચાલુ ચોમાસા દરમ્યાન થયેલા ભારે વરસાદને લઈને પંથકમાં ઠેર-ઠેર પાલર પાણી ભરાયેલાં છે. જેને લીધે છેલ્લા કેટલાક સયમથી મચ્છરોના ઉપદ્રવ વધ્યા પછી મેલેરિયાની બીમારીમાં મોટો ઉછાળો આવ્યો છે. ગોરેવાલી પ્રા.આ. કેન્દ્રમાં હાલ દરરોજ 100થી પણ વધુ દર્દીઓ નોંધાય છે, પરંતુ યોગ્ય સારવારના અભાવે આવા દર્દીઓને ફરક ન પડતાં ન છૂટકે ફી ભરી ખાનગી ડોક્ટરો પાસે સારવાર માટે મજબૂર બન્યા છે. તેવી ફરિયાદ ગામના ઉપસરપંચ અમીરઅલી મુતવાએ કરી છે. તેમના કહેવા પ્રમાણે પશ્ચિમ બન્નીમાં પાણીના ભારે ભરાવના કારણે ભગાડિયા, સેરવા, સરાડા, બુરકલ, લુણા સહિતના ગામોમાંથી માલધારીઓ હિજરત કરી ગોરેવાલી આસપાસના વિસ્તારમાં પડાવ નાખ્યા છે. આ પરિવારોને પીવાનાં પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોઈ ન છૂટકે આસપાસ ભરાયેલા દૂષિત પાણીનો ઉપયોગ કરે છે. જેને લઈને પાણીજન્ય રોગોનો પ્રમાણ વધ્યો છે. આવા દર્દીઓ ગોરેવાલી પ્રા.આ. કેન્દ્રમાં ગયા પછી કોઈ પણના પરિક્ષણ વગર એક-બે દિવસની ગોળી આપતા મેલેરિયા કાબૂમાં આવતો નથી. જેને લીધે લોકો ન છૂટકે હોડકો સ્થિત ખાનગી દવાખાનામાં પૈસા ખર્ચી સારવાર કરાવવી પડે છે. કોરોનાકાળના બે વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર આ પ્રા.આ. કેન્દ્રની હાલની આરોગ્ય સેવા કથળી હોવાનું જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ રેલ્વે મંડલ દ્વારા મણીનગર રેલ્વે સ્ટેશને વધુ એક પ્લેટફોર્મની સુવિધા મુસાફરો માટે શરૂ થઈ
અમદાવાદ રેલ્વે મંડલ દ્વારા મણીનગર રેલ્વે સ્ટેશને વધુ એક પ્લેટફોર્મની સુવિધા મુસાફરો માટે શરૂ થઈ
દિયોદર કોંગ્રેસ ના કાર્યકતાઓની દિયોદર પોલીસે કરી અટકાયત..
દિયોદર કોગ્રેસ કાર્યકરોની અટકાયત.,,રાજ્ય ભરમાં કોગ્રેસ દ્વારા ભારતીય સ્ટેટ બેન્ક અને એલ.આઈ.સી ....
गहलोत राज के कई फैसले बदलने की तैयारी:मंत्री बोले- कांग्रेस सरकार ने आखिरी 6 महीने में भारी गड़बड़ियां कीं
गहलोत राज के आखिरी छह महीनों में लिए कई फैसलों काे भाजपा सरकार बदलने की तैयारी कर रही है। इनमें...
2024 से पहले ग्रामीण आजीविका मिशन से जोड़े जाएंगे एक करोड़ नए परिवार, दिल्ली में दो दिवसीय सम्मेलन का शुभारंभ
नई दिल्ली, दीनदयाल उपाध्याय राष्ट्रीय ग्रामीण आजीविका मिशन को ग्रामीण विकास मंत्रालय...
દાહોદમાં પંચમહાલ ડેરી ગોધરાની પ્લેટ લગાવી થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ.
દાહોદમાં પંચમહાલ ડેરી ગોધરાની પ્લેટ લગાવી થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ.