નિરોણા પૂર્વ બન્નીમાં છેલ્લા કેટલાક સમયથી મેલેરિયાની બીમારીએ માથું ઊંચકતા માલધારી વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. પંથકના ગોરેવાલી આ. કેન્દ્રમાં યોગ્ય સારવારના અભાવે દર્દીઓને ન છૂટકે ખાગની ડોક્ટરો પાસે જવું પડે છે.ચાલુ ચોમાસા દરમ્યાન થયેલા ભારે વરસાદને લઈને પંથકમાં ઠેર-ઠેર પાલર પાણી ભરાયેલાં છે. જેને લીધે છેલ્લા કેટલાક સયમથી મચ્છરોના ઉપદ્રવ વધ્યા પછી મેલેરિયાની બીમારીમાં મોટો ઉછાળો આવ્યો છે. ગોરેવાલી પ્રા.આ. કેન્દ્રમાં હાલ દરરોજ 100થી પણ વધુ દર્દીઓ નોંધાય છે, પરંતુ યોગ્ય સારવારના અભાવે આવા દર્દીઓને ફરક ન પડતાં ન છૂટકે ફી ભરી ખાનગી ડોક્ટરો પાસે સારવાર માટે મજબૂર બન્યા છે. તેવી ફરિયાદ ગામના ઉપસરપંચ અમીરઅલી મુતવાએ કરી છે. તેમના કહેવા પ્રમાણે પશ્ચિમ બન્નીમાં પાણીના ભારે ભરાવના કારણે ભગાડિયા, સેરવા, સરાડા, બુરકલ, લુણા સહિતના ગામોમાંથી માલધારીઓ હિજરત કરી ગોરેવાલી આસપાસના વિસ્તારમાં પડાવ નાખ્યા છે. આ પરિવારોને પીવાનાં પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોઈ ન છૂટકે આસપાસ ભરાયેલા દૂષિત પાણીનો ઉપયોગ કરે છે. જેને લઈને પાણીજન્ય રોગોનો પ્રમાણ વધ્યો છે. આવા દર્દીઓ ગોરેવાલી પ્રા.આ. કેન્દ્રમાં ગયા પછી કોઈ પણના પરિક્ષણ વગર એક-બે દિવસની ગોળી આપતા મેલેરિયા કાબૂમાં આવતો નથી. જેને લીધે લોકો ન છૂટકે હોડકો સ્થિત ખાનગી દવાખાનામાં પૈસા ખર્ચી સારવાર કરાવવી પડે છે. કોરોનાકાળના બે વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર આ પ્રા.આ. કેન્દ્રની હાલની આરોગ્ય સેવા કથળી હોવાનું જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મૂર્ખ બનાવનારાઓ બાંયધરી આપે છે, ભાજપે પોતાનું કામ કરી બતાવ્યું છે.
મૂર્ખ બનાવનારાઓ બાંયધરી આપે છે, ભાજપે પોતાનું કામ કરી બતાવ્યું છે.
শিৱসাগৰ জ্যোতি সংঘৰ উদ্যোগত শ্ৰীশ্ৰী সৰস্বতী পূজা সম্পন্ন
শিৱসাগৰঃ শিৱসাগৰ জ্যোতি সংঘৰ সৌজন্যত ৪৬ সংখ্যক সাৰ্ব্বজনীন শ্ৰীশ্ৰী সৰস্বতী পূজা উদ্যাপন ৷...
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી અનુસંધાને વિવિધ સ્પર્ધા યોજાઈ
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 26મી જૂનના રોજ આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી થવાની છે. જેના...
ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં 70 હજાર કરતાં વધુ લોકોએ પ્રીકોશન ડોઝ લીધો.
ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં 70 હજાર કરતાં વધુ લોકોએ પ્રીકોશન ડોઝ લીધો.