નિરોણા પૂર્વ બન્નીમાં છેલ્લા કેટલાક સમયથી મેલેરિયાની બીમારીએ માથું ઊંચકતા માલધારી વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. પંથકના ગોરેવાલી આ. કેન્દ્રમાં યોગ્ય સારવારના અભાવે દર્દીઓને ન છૂટકે ખાગની ડોક્ટરો પાસે જવું પડે છે.ચાલુ ચોમાસા દરમ્યાન થયેલા ભારે વરસાદને લઈને પંથકમાં ઠેર-ઠેર પાલર પાણી ભરાયેલાં છે. જેને લીધે છેલ્લા કેટલાક સયમથી મચ્છરોના ઉપદ્રવ વધ્યા પછી મેલેરિયાની બીમારીમાં મોટો ઉછાળો આવ્યો છે. ગોરેવાલી પ્રા.આ. કેન્દ્રમાં હાલ દરરોજ 100થી પણ વધુ દર્દીઓ નોંધાય છે, પરંતુ યોગ્ય સારવારના અભાવે આવા દર્દીઓને ફરક ન પડતાં ન છૂટકે ફી ભરી ખાનગી ડોક્ટરો પાસે સારવાર માટે મજબૂર બન્યા છે. તેવી ફરિયાદ ગામના ઉપસરપંચ અમીરઅલી મુતવાએ કરી છે. તેમના કહેવા પ્રમાણે પશ્ચિમ બન્નીમાં પાણીના ભારે ભરાવના કારણે ભગાડિયા, સેરવા, સરાડા, બુરકલ, લુણા સહિતના ગામોમાંથી માલધારીઓ હિજરત કરી ગોરેવાલી આસપાસના વિસ્તારમાં પડાવ નાખ્યા છે. આ પરિવારોને પીવાનાં પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોઈ ન છૂટકે આસપાસ ભરાયેલા દૂષિત પાણીનો ઉપયોગ કરે છે. જેને લઈને પાણીજન્ય રોગોનો પ્રમાણ વધ્યો છે. આવા દર્દીઓ ગોરેવાલી પ્રા.આ. કેન્દ્રમાં ગયા પછી કોઈ પણના પરિક્ષણ વગર એક-બે દિવસની ગોળી આપતા મેલેરિયા કાબૂમાં આવતો નથી. જેને લીધે લોકો ન છૂટકે હોડકો સ્થિત ખાનગી દવાખાનામાં પૈસા ખર્ચી સારવાર કરાવવી પડે છે. કોરોનાકાળના બે વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર આ પ્રા.આ. કેન્દ્રની હાલની આરોગ્ય સેવા કથળી હોવાનું જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘कर्नाटक सरकार को गिराने की हो रही कोशिश’, कांग्रेस ने भाजपा-जेडीएस पर लगाए गंभीर आरोप
अखिल भारतीय कांग्रेस कमेटी (एआईसीसी) के महासचिव के.सी. वेणुगोपाल ने कहा कि राज्य में पिछली...
બિહાર કેબિનેટ વિસ્તરણઃ બિહારમાં આજે કેબિનેટ વિસ્તરણ, તેજ પ્રતાપ પણ બની શકે છે મંત્રી, જાણો સંપૂર્ણ સમીકરણ
બિહારમાં ભાજપ છોડીને નીતિશ કુમાર તેજસ્વી યાદવના દરબારમાં પહોંચ્યા છે. આરજેડી અને જેડીયુની નવી...
Nithari Murder Case: निठारी कांड में CBI को झटका, मुख्य आरोपी इलाहाबाद HC से बरी | Aaj Tak News
Nithari Murder Case: निठारी कांड में CBI को झटका, मुख्य आरोपी इलाहाबाद HC से बरी | Aaj Tak News
Election Results 2023 के एक दिन बाद आई NCRB Crime Report 2022: अपराध दर कम हुई या ज़्यादा?
Election Results 2023 के एक दिन बाद आई NCRB Crime Report 2022: अपराध दर कम हुई या ज़्यादा?