સારો વરસાદ પડતાં હાઈવે અને નાના-મોટા ગામડાઓના રસ્તાઓ ધોવાયા છે અને વરસાદના કારણે રસ્તાઓની બન્ને બાજુ ગાંડા બાવળોએ ડેરો જમાવતાં મુશ્કેલીમાં વધારો થયો છે. ભુજ-ભચાઉ વાયા દુધઈ સ્ટેટ હાઈવે સારા વરસાદના કારણે ધોવાઈ ગયો છે. ઠેકઠેકાણે રસ્તાઓમાં ખાડા જોવા મળે છે. હાલ શ્રાદ્ધ પક્ષમાં માતાના મઢના પદયાત્રીઓની પણ ભચાઉ-ભુજ વાયા દુધઈ હાઈવે પર સારી ટ્રાફિક રહે છે માટે તંત્ર દ્વારા જો રસ્તાની સાઈડોમાં જે બાવળ ઊગી નીકળ્યા છે તેનું નિકંદન કરવાની જરૂર છે, જેથી પદયાત્રીઓને ચાલવામાં તકલીફ ન પડે. દુધઈથી કોટડા વચ્ચે રસ્તાની બાજુમાં હાઈવે પર ખાતરના ઢગલા જોવા મળે છે. નવાગામ પુલને કોની નજર લાગી છે તે સમજાતું નથી. વારંવાર નવાગામનો પુલ બિસમાર બની જાય છે. અત્યારે આ બન્ને બાજુથી રસ્તાઓ ઉપર આડશ મૂકી દેવામાં આવ્યા છે. બાજુમાં નાના પુલ પરથી વાહનની અવર-જવર થાય છે, જ્યારે પદયાત્રીઓ ક્યા રસ્તેથી ચાલશે તે સમજાતું નથી. માટે હાલ નવરાત્રિ મહોત્સવ શરૂ થતાં પહેલાં ગુજરાત-કચ્છથી પગપાળા જતાં પદયાત્રીઓને આ રસ્તાઓ ઉપર મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેથી માર્ગ-મકાન વિભાગ, વનતંત્ર દ્વારા આ રસ્તાઓનું નિરાકરણ થાય તેવું હાઈવે પર આવતા ગામોના લોકો કહી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेतकऱ्यांच्या विद्युत मोटार पंप चोरणाऱ्या आरोपीला स्थानिक गुन्हे शाखेच्या पथकाने ठोकल्या बेड्या,25 हजारांचा मुद्देमाल जप्त.
शेतकऱ्यांच्या शेतातील विद्युत मोटारपंप चोरणाऱ्या आरोपीला स्थानिक गुन्हे शाखेच्या पथकाने ठोकल्या...
Chandrababu Naidu Cabinet: नायडू कैबिनेट में किस-किसको जगह? देखें 25 मंत्रियों की पूरी लिस्ट
Chandrababu Naidu Cabinet: नायडू कैबिनेट में किस-किसको जगह? देखें 25 मंत्रियों की पूरी लिस्ट
સુરેન્દ્રનગર જિલ્લાના ગાજણવાવ ગામે 70 ફૂટ ઊંડા બોરમાં બાળકી ફસાતા તંત્રમાં દોડધામ
સુરેન્દ્રનગર જિલ્લાના ગાજણવાવ ગામે 70 ફૂટ ઊંડા બોરમાં બાળકી ફસાતા તંત્રમાં દોડધામ
ગુજરાતના ચાર ગામો અને જમીનનો એક ભાગ યુટીને સોંપવાની તૈયારી?
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવને ગુજરાતમાંથી જમીનનો એક ભાગ અને ચાર ગામો...
વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી..
શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. લોકોના પ્રશ્નો ઉકેલવા માટે...