સુરજીપૂરા ગામની 32 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામે આ કામના ભોગ બનનાર 32 વર્ષીય મહિલા કૈલાસનેન અર્જુનભાઈ ભીલનાઓ સુરજીપુરા ગામે પોતાના ઘરે સાંજના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હોવાની ઘટના બની હતી જેથી તેમના પતિ અર્જુનભાઈ રમણભાઈ ભીલે 108 એમ્બ્યુલન્સ સેવા ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ તત્કાલીન સુરજીપૂરા ગામે આવી પહોંચતા તેઓને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ આવ્યા હતા જ્યાં દર્દીની હાલત ગંભીર હોવાથી ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતા તિલકવાડા પોલીસે જાણવાજોગ નો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે