આજ રોજ ફતેપુરા તાલુકાના મોટીરેલપુર્વ ગામે પણદા ફળીયા અને તળગામ ગામ ફળીયા આમ બે અલગ અલગ જગ્યાએ ધનજીભાઈ બામણીયાની આગેવાનીમાં અને આપના સંગઠન મંત્રી શ્રી બલરાજભાઈ પરમારના આયોજનથી આમ આદમી પાર્ટીના જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ આ કાર્યક્રમ માં આમ આદમી પાર્ટીના સક્રિય હોદ્દેદારો શક્તિસિંહ ચંદાણા, વિક્રમભાઈ ચરપોટ, ગણેશભાઈ બામણીયા, મોટીરેપૂર્વ પણદા ફળિયાના અગ્રણી સોમસિંગભાઈ પણદા, મોટીરેલપૂર્વ તળગામ ફળિયાના અગ્રણી બલરાજભાઈ પરમાર, તેમજ ગામના વરિષ્ઠ નાગરિકો તેમજ યુવા મિત્રોએ હાજરી આપી હતી. આકાશભાઈ ચંદાણાએ ગુજરાતમાં ઝાડુની સરકાર કેમ લાવવી તેની ચર્ચા કરી હતી. ગુજરાત પ્રદેશ સચિવ શ્રી જયેશભાઈ સંગાડાએ દિલ્લીમાં આમ આદમી પાર્ટીએ કરેલા કાર્યોની અને કેજરીવાલે ગુજરાતની જનતાને આપેલી ગેરંટી વિશેની માહિતી આપી હતી. સાથે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા.