ભરૂચમાં સ્કૂલમાં શાળાના આચાર્ય એજ 15 વર્ષની વિધાર્થીની ને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

ગુરૂજ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો બહાર આવતાં સમગ્ર પંથકમાં નરાધમ એવા સરસ્વતિ વિધાલયનાં આચાર્ય સામે લોકો ફિટકાર વરસાવી રહયા છે.

ભરૂચની સરસ્વતિ વિધાલયના આચાર્ય રણજીત પરમારે ધોરણ 10માં ભણતી ઍક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાના આક્ષેપ થતા લોકોમાં રોષ ફેલાઈ ગયો છે.

 માસૂમ વિદ્યાર્થિની સાથે શારીરિક શોષણ થતા તેણે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી પણ ઘરમાં કોઈને વાત કરતા ગભરાતી હોય તેનો ફાયદો આચાર્ય ઉઠાવતો હોવાના આક્ષેપ થયા છે.

 બળાત્કાર કરતા પહેલા સીસી ટીવી કેમેરા બંધ કરતો હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે.

 ગત તા 30ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે.

આ ઉપરાંત તા 10 સપ્ટેમ્બરના રોજ ફરી આચાર્ય દ્વારા દુષ્કર્મ નો પ્રયાસ થતા વારંવારના ત્રાસથી કંટાળેલી વિદ્યાર્થીની આચાર્યની કેબિનમાથી બહાર દોડી આવી હતી અને પોતાની બહેનને ફૉન કરી પોતાની સાથે થતાં શારીરિક અત્યાચાર અંગેની વાત કરી દેતા આખો મામલો સામે આવ્યો હતો બાદમાં વિદ્યાર્થિનીની માતાએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી રણજીત પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.