ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત આર.પી આર્ટસ, કે.બી કોમર્સ કોલેજ, બી.સી.જે સાયન્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ અને પરિવર્તન ટ્રસ્ટ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે માર્ગ અકસ્માત અને ટ્રાફિક નિયમોના પાલન અંગેની વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.આ સ્પર્ધા સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકિમચંદ્ર વ્યાસ, આચાર્ય- વશિષ્ઠધર દ્વિવેદી, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ એન.એસ.પરમારના માર્ગદર્શન યોજવામાં આવી હતી.જેમાં પ્રથમ નંબરે વિનુભાઈ ભરવાડ, દ્વિતીય નંબર નિધિ પગી, તૃતીય નંબર-અક્ષા સૈયદ, શેખ સાનિયાએ પ્રાપ્ત કર્યો હતો.