સમગ્ર રાજ્યમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું 

કેન્દ્ર મા ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે વધતી જતી મોંઘવારી આકરો જી એસ ટી બેરોજગારી આત્મહત્યા કાયદો અને વ્યવસ્થા નબળી પડી છે મોંધવારી અને બેરોજગારી ના કારણે લોકોનું જીવન બે હાલ બન્યું છે ત્યારે તેના સાંકેતિક પ્રતિકાર માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે શનિવારે સવારથી બપોર સુધી દરેક લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખી કોંગ્રેસ ના બંધના એલાનને સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે વડિયા શહેરમાં કોંગ્રેસ દ્વારા બંધના એલાનનો ફીયાસ્કો જોવા મળી રહ્યો હતો ત્યારે વડિયા શહેરમાં તો ખુદ કોંગ્રેસી કાર્યકરો ની દુકાનો પણ ખુલ્લી જોવા મળી હતી વડિયા શહેરમાં વહેલી સવારથી રાબેતા મુજબ વેપારીઓ એ પોતપોતાના વેપાર ધંધા માટે દુકાનો ખોલી નાખી હતી અને કોઈ કોંગ્રેસ ના કાર્યકરતા દ્વારા સવારે વેપારીઓ ને દુકાનો બંધ કરાવા માટે અપીલ પણ કરવામાં આવી નો હતી માત્ર એક જ જાહેર નોટીસ બોર્ડ પર લખી અપીલ કરવામાં આવી હતી

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી