ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.