અગાઉ યુવતી અને તેના પ્રેમીના અપહરણની ફરિયાદ થઇ હતી. રાજુલા તાલુકાના નવા આગરીયા ગામની યુવતીને વિસાવદરના રાજપરા ગામના યુવક સાથે પ્રેમસંબંધ હોય લગ્ન કરવાના ઇરાદે બંને રાત્રીના અંદાજિત ૧ વાગ્યાની આસપાસ ના સમયે નાસી ગયા હતા. ત્યારબાદ હવે આ યુવતીએ તેના પ્રેમી સામે દુષ્કર્મ આચરવા સબબ ફરિયાદ નોંધાવી છે.રાજુલાના નવા આગરીયાની ૨૪ વર્ષીય યુવતીએ આ બારામા વિસાવદર તાલુકાના રાજપરા ગામના સંદિપ અરજણભાઇ વણઝારા ઉપરાંત અમરેલી તાલુકાના કેરાળા ગામે રહેતા સંદિપના માસા રવજીભાઇ અને માસી સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે . જેમા તેણે જણાવ્યું હતુ કે તેને સંદિપ સાથે એક વર્ષથી પ્રેમસંબંધ છે . અને બંનેએ લગ્ન કરી સાથે રહેવાનુ નક્કી કરી તારીખ ૩૦/ ૦૮/૨૦૨૨ ના રોજ રાત્રે એકાદ વાગ્યાના સુમારે નાસી છુટયા હતા . ઘરેથી નાસ્યા બાદ બંને કેરાળામા સંદિપના માસાના ઘરે રોકાયા હતા . જયાં રાત્રીના સમયે સંદિપે તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ . તેણે સંદિપ સાથે લગ્ન નહી કરવાનુ કહેતા તેને એક ઝાપટ પણ મારી હતી . સંદિપના માસા માસીએ પણ જો તુ સંદિપ સાથે લગ્ન નહી કરે તો મારી નાખીશુ તેવી ધમકી આપી હતી . તાલુકા પી.એસ.આઇ. પી.વી.સાંખટ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી