લાંબા વિરામ બાદ પાવીજેતપુર નગરમાં મેઘરાજાનું ફરી આગમન થયું છે છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પડતા નગરમાં ગરમીનો માહોલ રહેતો હતો ભારે બફારો થતો હતો લોકો ગરમીથી અને બફારાથી જાણે થાકી ગયા હતા ત્યારે આજે મેઘરાજા ફરી વરસ્યા હતા. મેઘરાજા વરસતા પાવી જેતપુર નગરમાં વરસાદી માહોલ જોવા મળતા સમગ્ર વાતાવરણમાં ઠંડકનો માહોલ થઈ ગયો હતો અને આ વરસાદથી લોકોને ભારે બફારામાંથી મુક્તિ મળવાની આશા છે.