સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા સૂચન મુજબ  રાણાવાવ નગરપાલિકાના વોર્ડ નં. 4 માં લોક-સંપર્ક અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મળતી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

  આ કાર્યક્રમમાં  આમંત્રિત મહેમાન અતિથિ વિશેષ રાણાવાવ શહેરમાંથી લાખણશીભાઈ ઓડેદરા, માલદેભાઈ મોઢવાડીયા, કિરીટભાઈ બાપોદરા હાજર રહ્યા કાર્યક્રમ સ્થળ અને વ્યવસ્થા નાથાભાઈ ગાધેર દ્વારા કરવામાં આવી અને રાણાવાવ નગર સંયોજક રામદેભાઈ ઓડેદરા તથા વનરાજભાઈ ઓડેદરાએ હાજર રહી લોક ઉપયોગી માહિતી આપી અને ટૂંક સમયમાં તે વિસ્તારને જરૂરી સરકારી લાભો મળે તે માટે આયોજનબદ્ધ કાર્યક્રમ કરી. લોકોને ઉપયોગી માહિતી અને લાભો મળતા થાઈ તેવી તૈયારીઓ કરી.