પોલીસ પરિવારના સામુહિક આપઘાતે ચકચાર મચાવી દિધો છે... અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા પોલીસ કર્મીએ તેની પત્નીઅને દિકરી સાથે 12માં માળેથી કુદીને સામુહીક આપઘાત કર્યો છે... પોલીસ કર્મી કુલદીપ યાદવ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.... જોકે પોલીસ કર્મીના આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી... જોકે પોલીસ કર્મીનો એક સ્યુસાઈડ મેસેજ સામે આવ્યો છે... તો સ્યુસાઈડ મેસેજ મુજબ પારિવારીક ખટરાગ તેમજ આર્થિક સંકડામણ હોવાનું લાગી રહ્યું છે... તો સાથે જ પોલીસ કર્મીએ સ્યુસાઈડ મેસેજમાં ગ્રેડ પેનો મુદ્દો તેમજ પોલીસ કર્મચારીઓ પગાર નથી વધવા દેતા તેવો પણ ઉલ્લેખ કર્યો છે.... સમગ્ર ઘટનામાં સોલા પોલીસે સ્યુસાઈડ મેસેજને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..

પોલીસકર્મીઓ છેલ્લા ઘણા સમયથી પગાર અને ગ્રેડ પે વધારાની માગ કરી રહ્યા છે.. ત્યારે મોત પહેલા પોલીસકર્મીના સ્યુસાઈડ નોટમાં કરાયેલા ઉલ્લેખે પોલીસબેડામાં સન્નાટો ફેલાવી દીધો છે...