"મૂલ્યવાન રક્તદાન બનશે, જરૂરિયાતમંદો માટે જીવનદાન.. !"

“રક્તદાન થી બચશે અનેક જીવ, થશે પુણ્યનું કામ.. !"

વટવા જીઆઈડીસી એસોસિયેશન દ્વારા આયોજિત "બ્લડ ડોનેશન કેમ્પ" માં રક્ત રૂપી આહુતિ આપનાર સૌ નિઃસ્વાર્થ રક્તદાતાઓનો જુસ્સો વધાર્યો હતો.

રક્તદાન આજના યુગનું ઉત્તમ દાન કહેવાય છે ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં જીવન રક્ષણાત્મક રક્તની સર્જાતી આકસ્મિક અછત અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે નૈતિક ફરજના ભાગરૂપે સૌ યુવા-સ્વસ્થ્ય નાગરિકોને નિયમિતપણે આ માનવીય સેવાકાર્યમાં રક્તદાન કરવા અનુરોધ કરું છું.